...

ગેસ થવું અને પેટનું ફૂલવું

  • ગેસ થવાનાં કારણો આ પ્રમાણે હોઈ શકે છે:

    • ઘણીવાર ખાતા, પીતા અથવા ધૂમ્રપાન કરતી વખતે હવાને ગળી જવી. ગળી ગયેલી હવા સામાન્ય રીતે ઓડકાર તરીકે બહાર આવે છે.
    • કઠોળ, બ્રોકોલી, ફળ, ઘઉં, બટાકા, મકાઈ, અને નૂડલ્સ જેવા કેટલાક ખોરાક ખાઓ ત્યારે થાય. આંતરડામાં રહેલા બેક્ટેરિયા આ ખોરાકના અંશોને પચે પચાવે છે અને ગેસ બનાવે છે.
    • ઘઉં અથવા ડેરી ઉત્પાદનો જેવા કેટલાક ખાદ્ય પદાર્થોને પચાવવામાં મુશ્કેલી થાય ત્યારે.
    • એવી પરિસ્થિતિઓ જે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.

કોલોનમાં ઘણા બધા વળ હોય છે. જ્યારે આ બધા વળોમાં હવા ફસાઈ જાય છે, ત્યારે તમને ખેંચાણ અથવા તીક્ષ્ણ પીડા થાય છે. સામાન્ય રીતે આ પીડા, બંને બાજુના પેટની મધ્યમાં અને ટોચ પર થતી હોય છે.

મોટાભાગના લોકો દરરોજ 14 થી 23 વખત ગેસ કાઢતા હોય છે. ભોજન પહેલાં અને પછી બર્પીંગ (Burping) એટલે કે ઓડકાર આવવો, પણ સામાન્ય વાત છે. કેટલાક લોકોને ગેસ બીજા કરતા વધારે પરેશાન કરે છે.

તમારા ગુદામાંથી નીકળતા મોટાભાગના ગેસમાં ગંધ હોતી નથી. પરંતુ, તેમાંના કેટલાકમાં સલ્ફર નામનો પદાર્થ હોય છે. મોટાભાગના લોકોને, સલ્ફર થી ખૂબ જ ગંધ આવે છે.

તમને વધુ સારું લાગવા માટે નિમ્નલિખિત પ્રયોગો કરો:

અમુક  ખાદ્યપદાર્થો ને ખાવા થી બંધ કરો. તમે શું ખાવ છો તે લખો, જેથી તમે સમજી શકો કે કયા ખોરાક થી તમને ગેસ થાય છે. દરેકનું શરીર અલગ હોય છે. ગેસના સામાન્ય કારણો છે:

  • દૂધ અને ડેરી ઉત્પાદનો
  • કઠોળ
  • કેટલીક શાકભાજી, જેમ કે કોબી, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, શતાવરીનો છોડ (Asparagus), બ્રોકોલી, બટાકા, અને મકાઈ
  • કેટલાક આખા અનાજ, જેમ કે ઘઉં
  • મોટા ભાગના ફળ
  • કૃત્રિમ સ્વીટનર્સ
  • સોડા અને અન્ય ફિઝી ડ્રિંક્સ / પીણા
  • ચ્યુઇંગમ – Chewing Gum

એવી દવાઓ લો, કે જેમાં સિમેથિકોન (Semithicone) હોય. આ તમને દવાની દુકાન પર મેળવી શકો છો. સિમેથિકોન, તમારા આંતરડામાં ગેસ ના પરપોટા તોડી નાખે છે. ડોકટરો ને ખાતરી નથી કે તે કેટલું સારું કામ કરે છે.

  • બીનો (Beano) નામનું ઉત્પાદન લો. આ તમારા શરીરને કઠોળ અને કેટલીક શાકભાજી પચાવવામાં મદદ કરી શકે છે.
  • બિસ્મથ સબસેલીસીલેટ નામની દવા લો. આ ગેસની ગંધને ઓછી ખરાબ બનાવવામાં મદદ કરી શકે છે.

જો તમને આમાંના કોઈ પણ લક્ષણો હોય તો તમારા ડૉક્ટરને મળો:

  • અતિસાર / ઝાડા
  • વગર કારણે વજન ઘટાડો થવો
  • પેટમાં દુખાવો થવો
  • મળમાં લોહી
  • ભૂખ ઓછી લાગવી
  • વગર કારણે તાવ
  • ઉલ્ટી થવી

તમારી ઉંમર, અન્ય લક્ષણો, અને વ્યક્તિગત પરિસ્થિતિને આધારે તમારા ડૉક્ટર નક્કી કરશે કે તમારે કયા પરીક્ષણો કરાવવા જોઈએ.

ઘણા બધા પરીક્ષણો હોય છે, પરંતુ તમને કદાચ કોઈ પણ પરીક્ષણ કરાવવાની જરૂર ન પડે.

સામાન્ય રીતે, ગેસ અને પેટનું ફૂલવાનું કારણ શોધવા માટે ડોકટરો નિમ્નલિખિત પરીક્ષણો કરે છે:

  • લોહી, અસામાન્ય સ્તરની ચરબી, અને અન્ય વસ્તુઓની તપાસ માટે તમારી મળના નમૂના પર પરીક્ષણો
  • તમારા શરીરને ગ્લુટેન (Gluten) (ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય) નામના ઘટકને પચાવવામાં મુશ્કેલી આવે છે કે નહીં એ જાણવા માટે ખાસ રક્ત પરીક્ષણ. બ્રેડ, પાસ્તા, મસાલા, અને અન્ય ખોરાકમાં ગ્લુટેન હોય છે.
  • તમારા આંતરડામાં બેક્ટેરિયાની નિયંત્રણ બહાર વૃદ્ધિ થઇ હોય અથવા તમારા શરીરને ડેરી ઉત્પાદનોને ડાયજેસ્ટ કરવામાં તકલીફ થાય છે તે જાણવા માટે શ્વાસની તપાસ.
  • તમારી આંતરડામાં કોઈ બીજી સમસ્યા છે કે નહીં તે જોવા અને જાણવા માટે એક્સ-રે (X-Ray)
  • અપર એન્ડોસ્કોપી (Upper Endscopy ) અથવા કોલોનોસ્કોપી (Colonoscopy) – આ પરીક્ષણો માટે, ડૉક્ટર તમારા પેટ અથવા કોલોનમાં એક પાતળી નળી દાખલ કરે છે. નળીની સાથે કેમેરા જોડાયેલ છે, તેથી ડૉક્ટર તમારી અંદર જોઈ શકે છે. માઇક્રોસ્કોપ હેઠળ જોવા માટે ડૉક્ટર પેશીના નમૂનાઓ પણ લઈ શકે છે.

તમારા ગેસ અને પેટનું ફૂલવું કયા કારણોસર છે તેના પર વિવિધ ઉપચાર કરી શકાય છે. સારવારમાં આ પ્રમાણે થઇ હોઈ શકે છે:

  • તમે શું ખાઓ છુ અને પીવો છો તેમાં બદલાવ લાવો પડશે
  • કેવી રીતે ખાવું અને પીવું, તે તમારે બદલવું પડશે. વધુ ધીમેથી ખાવાથી બર્પિંગમાં (ઓડકાર આવવા માં) મદદ મળી શકે છે.
  • ડેરી ઉત્પાદનોને પચાવવામાં તમારી સહાય માટે પૂરવણીઓનો / સપ્લિમેન્ટ્સ (supplements) નો ઉપયોગ કરવો.
  • એવી દવાઓ જે તમે દવા ની દુકાન પર થી ખરીદી શકો છો.
  • તમારા ડૉક્ટર એ સૂચવેલી દવાઓ અવશ્ય લેવી.

તમે આ દ્વારા ફરીથી ગેસ મેળવવાની સંભાવનાને ઘટાડી શકો છો:

  • તમારા માં ગેસ પેદા કરે તેવા ખોરાક અને પીણાથી દૂર રહેવું.
  • જ્યારે તમે કઠોળ અને કેટલીક શાકભાજી ખાઓ ત્યારે બીનો (Beano) નામક દવા લેવી.
  • જો તમને ડેરી ના ઉત્પાદનો પચાવવામાં સમસ્યા થાય છે, તો તમારે સપ્લિમેન્ટ્સ લેવા.
  • વધુ ધીમેથી ખાવું.
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Rate this post
Dr. Harsh J Shah

Exclusive Health Tips and Updates